E Shram Card Yojana : ઈ શ્રમ કાર્ડ યોજના 2023
મારાં વ્હાલા ગુજરાતીઓ આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, E Shram Card Yojana શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ લેખને અંત સુધી વાંચો.

ઈ શ્રમ કાર્ડ યોજના 2023
E Shram Card Yojana કેન્દ્ર સરકાર દ્રારા અમલમાં મુકવામાં આવી છે, જેમાં આપડા દેશનાં તમામ વિવિધ અસંગઠિત કામદારોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ તમામ અલગ-અલગ અસંગઠિત કામદારોનાં ડેટા લીધા બાદ તેઓ ને શું-શું લાભ આપવા અને ભવિષ્ય મા તેઓને લક્ષમાં રાખીને કઈ કઈ યોજનાઓ અમલમા લાવવી તે પણ કેન્દ્ર સરકાર નો હેતુ છે.
ઈ શ્રમ કાર્ડ યોજનાનો લાભ કોને મળશે
- નાના ખેડૂતો
- ખેત મજૂરી કરતા મજૂરો
- બીડી બાંધવા નો વ્યવસાય કરતા મજૂરો
- શેરી પાક કરતા કામદારો
- માછીમારી કરતા મજૂરો
- લેવલીંગ અને પેલિંગ નાં કામદારો
- ચામડા નાં કામદારો
- પશુપાલન વ્યવસાય નાં મજૂરો
- વણકરો
- અગર નું કામ કરનાર કામદારો
- ઈંટ નાં ભઠ્ઠા નાં કામદારો
- પથ્થર ની ખાણ નાં કામદારો
- કાપડ ની મિલ નાં કામદારો
- છૂટક મજૂરી કરતા મજૂરો
- યાર્ડ માં કામ કરતા મજૂરો
- આશા વર્કર
- રિક્ષા ચાલકો
- ઓટો ડ્રાઈવર
- વાળંદ નું કામ કરતા કામદારો
- સુથાર રેશમ ખેતી કામદારો
- હાઉસ મેઇડ્સ
- સ્ટ્રીટ વેન્ડર્સ
ઈ શ્રમ કાર્ડ યોજના માટે પાત્રતા
E Shram Card Yojana નો લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે નીચે આપેલ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ તમે E Shram Card નો લાભ મેળવી શકશો.
- અરજદાર ની ઉંમર 16 થી 59 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- અરજદાર ભારતદેશ નાં વતની હોવા જોઈએ.
- અરજદાર EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ.
- અરજદાર અસંગઠિત ક્ષેત્રમાં મા મજૂરી/કામ કરતો હોવો જોઇએ.
- અરજદાર Incame Tax ભરતા હોવા નાં જોઈએ.
ઈ શ્રમ કાર્ડ યોજનામાં શું લાભ મળશે?
E Shram Card Yojana માં કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠિત કામદારો ને ખુબ જ લાભ મળે છે.જેમાં નીચે મુજબ નાં મુખ્ય લાભ આપવામા આવેલ છે.
- આ યોજના માં National Database of Uncategorized Workers ડેટા બેઝ પર સામાજિક સુરક્ષા યોજનાઓ મંત્રાલયો/ સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
- આવા મજૂરો/કામદારો નાં “BHIM” યોજના સૂરક્ષા નું કવચ આપવામાં આવશે.
- આ ડેટા બેઝ મા નોંધાયેલ કામદારો ને પ્રધાનમંત્રી સુરક્ષા BHIM યોજનાનો લાભ લઈ શકે છે અને Registration પછી તેઓને 1 વર્ષ માટે પ્રીમિયમ ચુકવણી પણ માફ કરવામાં આવશે.
- આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતતાના કિસ્સા માં એક વર્ષ માટે રૂ. 2 લાખ ની સહાય.
- આંશિક અપંગતા વાળા કિસ્સા માં એક વર્ષ માટે 1 લાખ ની સહાય આપવામાં આવશે.
જે મિત્રો E Shram Card Yojana અંતર્ગત ઈ શ્રમ કાર્ડ બનાવવા માંગે છે તેમને નીચે મુજબના તમામ દસ્તાવેજોની જરૂર પડશે.
- અરજદાર નું આધારકાર્ડ
- અરજદાર નું ચૂંટણી કાર્ડ
- અરજદાર નું રેશનિંગ કાર્ડ
- અરજદાર નું વિજળી બિલ ની નકલ
- અરજદાર નું મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિંક કરેલ હોઈ તે.
- અરજદાર ની બેન્ક પાસ બુક ની નકલ
ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન કેવી રીતે કઢાવવું?
ઈ શ્રમ કાર્ડ કોઈપણ વ્યક્તિ પોતે પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર પર જાતે ઓનલાઇન અરજી કરી શકે છે અથવા તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને ઈ શ્રમ કાર્ડ કઢાવવી શકે છે.
- સૌપ્રથમ તમારે “ Google” માં સર્ચ કરો કે “Register Eshram” જ્યા ઈ શ્રમ કાર્ડ ની Official Website ખુલી જશે.
- વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
- જ્યા હવે આપને હોમ પેજ પર જ જ્યા હવે રજિસ્ટર લિંક પર જવાનું રહેશે.
- જ્યાં ત્યાર બાદ “ Self Registration” નું નવું પેજ ખુલશે.જ્યા તમારે કાર્ડ માં રજિસ્ટર થયેલ મોબાઈલ નંબર નાખી ને “OTP” મેળવવાનો રહેશે.
- ત્યાર બાદ જ આપની સામે “Registaration” નું આખું ડેશબોર્ડ ખુલી જશે. જ્યા ઓનલાઈન અરજી કરવાની તમામ માહિતી ભરવાની રહેશે.
- જયાં તમારી તમામ માહિતી સંપૂર્ણ સાચી ભરવાની રહેશે અને ત્યાર બાદ આખી અરજી ને સમજી વિચારી ને સફળતા પુર્વક “Sabmit” કરવાની રહેશે.
- હવે તમારી સામે ઈ શ્રમ કાર્ડ બનીને આવી જશે.
- જેને હવે તમારે પ્રિન્ટ કરવાની રહેશે.
E Shram Card Yojana Helpline Number
અમે તમને E Shram Card Yojana વિશે સંપૂર્ણ માહિતી આપી છે પણ જો આપને હજુ પણ ઈ શ્રમ કાર્ડ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અથવા તો આપને આ યોજના સંબંધિત કોઇપણ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવી હોય તો નીચે આપેલ ટોલ ફ્રી નંબર પર જઈને કોલ કરીને માહિતી મેળવી શકો છો.
- Toll Free Number :- 14434/155372
આ પણ વાંચો:-