Indira Gandhi National Old Age Pension Yojana | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના 2022, પાત્રતા, મળવાપાત્ર સહાય, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકાર દ્વારા વિવિધ જાતના લાભાર્થીઓને ઘણી બધી સહાય આપવામાં આવે છે. જેમાં નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય, નિરાધાર વિધવા સહાય, વિકલાંગ પેન્શન સહાય વગેરે. જેમાં BPL કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળતી Indira Gandhi National Old Age Pension Yojana વિશે માહિતી રજૂ કરીશું.
મારાં વ્હાલા ગુજરાતના કિસાન ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Indira Gandhi National Old Age Pension Yojana શું છે, યોજનામાં રોટાવેટર ખરીદવા કેટલી સબસિડી મળશે, યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અરજી (ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના
વૃદ્ધો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમજ તેમને આર્થિક સહાય મળી તે ઉદ્દેશથી ભારતીય સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2007થી ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના એટલે વયવંદના યોજના સમગ્ર ભારતમાં અમલમાં મૂકવામાં આવેલી છે. જેને અંગ્રેજીમાં “Indira Gandhi National Old Age Pension Yojana- IGNOPAS “ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ગુજરાત રાજ્યમાં 2008થી અમલ શરૂ કરવામાં આવેલ છે. જેનો અમલ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નિયંત્રણ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે.
Indira Gandhi National Old Age Pension Yojana માટે પાત્રતા
Indira Gandhi National Old Age Pension Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- અરજદારની ઉંમર ૬૦ (60) વર્ષથી કે તેથી વધુ હોવી જોઈએ.
- અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તથા ગરીબી રેખા હેઠળ બી.પી.એલ (BPL) યાદીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતો હોવો જોઈએ.
- શહેરી વિસ્તારના અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ અને પ્રોપર્ટી એલીવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમોના સંદર્ભમાં તૈયાર કરવામાં આવતી બી.પી.એલ (BPL) યાદીમાં સમાવેશ થયેલો હોવો જોઈએ.
- વયવંદના યોજનાની પાત્રતા ધરાવતા પતિ-પત્ની બંને અરજી કરી શકે છે.
વયવંદના યોજના હેઠળ લાભ (સહાય) શું મળે?
Indira Gandhi National Old Age Pension Yojana 60 વર્ષ થી 79 વર્ષના વૃદ્ધોને માસિક રૂપિયા 750 (સાતસો પચાસ રૂપિયા) સહાય ચૂકવવામાં આવે છે.
- તેમજ 80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 1000 (એક હજાર રૂપિયા) સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા કરવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ
જે મિત્રો Indira Gandhi National Old Age Pension Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડ
- બેંક એકાઉન્ટ/પોસ્ટ એકાઉન્ટની પાસબુકની નકલ
- બીપીએલ યાદીમાં સમાવેશ હોય તે સ્કોર કાર્ડ
- અરજદારના રહેઠાણ સંબંધી કોઈપણ એક દસ્તાવેજ (રેશનકાર્ડ /ચૂંટણીકાર્ડ / વેરાપાવતી / ભાડાપાવતી)
- ઉંમર અંગેનો દાખલો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર(LC), સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન કે મેડિકલ કોલેજના મેડિકલ સુપ્રિન્ટેડેન્ટ, પ્રાથમિક/સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અથવા નગરપાલિકા / મહાનગરપાલિકા સંચાલિક હેલ્થ સેન્ટરના તબીબ અધિકારીશ્રી દ્વારા આપેલ ઉંમરનો દાખલો.)
યોજનાની અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
જે મિત્રો Indira Gandhi National Old Age Pension Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
આ યોજના બાબતે ઘણા લોકો દ્વારા પૂછવામાં આવે છે કે ઓનલાઇન આવેદન કેવી રીતે કરવું તો એના માટે ગ્રામ્ય વિસ્તારના લોકોને વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય કુટુંબ સહાય લાભ તેમના ગામમાંથી જ મળી રહે અને તેઓને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે અને જન સામાન્યની ‘જીવન જીવવાની સરળતા નો રાજ્ય સરકારનો હેતુ સિદ્ધ કરવા માટે સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ/સેવાઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પર Indira Gandhi National Old Age Pension Yojana online apply કરવામાં આવશે
- ગ્રામસ્તરે “ઈ-ગ્રામ કેન્દ્રો” મારફતે નિમાયેલા તમારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) દ્વારા વયવંદના યોજનાની ઓનલાઈન અરજીઓ “Digital Gujarat Portal” પર કરવાની રહેશે. જેની અરજી દીઠ રૂપિયા 20/- (વીસ રૂપિયા) લેખે અરજદારને ચૂકવવાના રહેશે.
- e-Gram કેન્દ્રો ખાતેથી આ સેવાઓ ઉપલબ્ધ હોય કે ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદારશ્રીની કચેરી, જનસેવા કેન્દ્રો કે ATVT કેન્દ્રો ખાતેથી પણ “Indira Gandhi National Old Age Pension Yojana” માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો:-