JEE, NEET & GUJCET Coaching Sahay Yojana | જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના શું છે, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
JEE, NEET & GUJCET Coaching Sahay Yojana હેઠળ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ધોરણ-12 પછી મેડિકલ, એન્જીનીયરીંગમાં એડિમિશન લેવા માટે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) જેવી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જે પરીક્ષાની તૈયારી માટે કોચિંગ દ્વારા તૈયાર કરતા હોય તેવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.
મારાં વ્હાલા ગુજરાતના ગુજરાતના વિધાર્થીઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે JEE, NEET & GUJCET Coaching Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજનાનો હેતુ શું?
ગુજરાત રાજ્યના ધોરણ-12વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ અને એન્જીનિયરીંગમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે જરૂરી છે. તેના માટે આગળ JEE, NEET & GUJCET પરીક્ષા આપવી એ જરૂરી છે. આ પરીક્ષાઓ પૂર્વ તૈયારી માંગી લેતી પરીક્ષાઓ છે. જેથી ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું સારામાં સારૂ કોચિંગ મેળવે તે ખૂબ જ જરૂરી છે. જેથી આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે, જેથી તે આગળ સારો અભ્યાસ કરી શકે.
જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ
JEE, NEET & GUJCET Coaching Sahay Yojana હેઠળ જે વિધાર્થી ધોરણ-12 પછી મેડિકલ, એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે JEE, GUJCET અને NEET ના કોચિંગ મેળતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવશે. જેમાં ધોરણ-12ના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂ.20,000/- અથવા વાસ્તવિક ફી હોય તે પૈકી જે ઓછી હોય તે યોજના હેઠળ મળવાપાત્ર થશે.
જી,નીટ અને ગુજકેટ કોચિંગ સહાય યોજના માટે પાત્રતા
JEE, NEET & GUJCET Coaching Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ.
- વિદ્યાર્થી બિન અનામત વર્ગનો હોવો જોઈએ.
- ધોરણ -12 માં અભ્યાસ કરતા વિધાર્થીને સહાય મળશે.
- ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાથીઓએ મેડિકલ,એન્જીનિયરીંગ પ્રવેશ માટે JEE, NEET & GUJCET Exams ની તૈયારી કરતો હોવો જોઈએ.
- વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ લેતા હોવા જોઈએ.
- વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક કુલ રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
જી,નીટ અને ગુજકેટ કોચિંગ સહાય યોજના હેઠળ કોચિંગ ક્લાસ માટેની પાત્રતા
જી,નીટ અને ગુજકેટ કોચિંગ સહાય યોજનાનો જે લાભ લેવા માંગે છે, તે જે પોતાનો કોચિંગ ક્લાસ સે તેની સાથે નીચે મુજબની શરતોનું પાલન થવું જોઈએ.
- સંસ્થા સરકારશ્રીના વિવિધ કાયદાઓ જેવા કે, GST, Income Tax, અથવા પ્રોફેશનલ ટેક્ષના કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવતી હોવી જોઈએ.
- સંસ્થા પબ્લિક ટ્રસ્ટ એક્ટ,કંપની એક્ટ-2013 અથવા તો સહકારી કાયદા હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતી હોવી જોઈએ.
- તાલીમાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં ક્વોલિફાઈડ ટીચીંગ સ્ટાફ હોવો જોઈએ.
- કોચિંગ ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ હોય 2 શિક્ષક અને 21 થી 50 વિદ્યાર્થીઓ 3 શિક્ષકો હોવા જોઈએ.
- કોચિંગ ક્લાસમાં 51 થી 70 તાલીમાર્થી સુધી 4 શિક્ષકો અને 71 થી 100 તાલીમાર્થી સુધી 5 ટીચીંગ સ્ટાફ હોવો જોઇશે.
જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો JEE, NEET & GUJCET Coaching Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડની નકલ
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- ઉંમરનો પુરાવો (જેમાં, જન્મનું પ્રમાણપત્ર અથવા L.C)
- રહેઠાણનો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
- ધોરણ-10 ની માર્કશીટની નકલ
- ધોરણ-12 ની માર્કશીટની નકલ
- શાળાનું વિદ્યાર્થીનું અભ્યાસ ચાલુ છે તે અંગેનું બોનાફાઈડ સર્ટીફિકેટ
- EBC Certificate
- કોચિંગ ક્લાસ સમાજ / ટ્રસ્ટ / સંસ્થા સંચાલિત છે. તો તેનો રજીસ્ટ્રેશન નંબર
- સંસ્થાનાં ૩ વર્ષના અનુભવનો પુરાવો
- વિદ્યાર્થીના બેંક પાસબુકની ઝેરોક્ષ નકલ
JEE, NEET & GUJCET Coaching Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો JEE, NEET & GUJCET Coaching Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
(ખાસ નોંધ:- તમામ વિધાર્થીઓને નમ્ર વિનતી કે અમે તમને નીચે યોજનામાં અરજી કરવા માટેની પ્રક્રિયા આપેલી છે, પરંતુ જો તમેને અરજી કરતા આવડતું હોય તો જ આ યોજનામાં અરજી કરો, કેમ કે કેટલાક વિધાર્થી જાતે અરજી કરે છે અને તે ફોર્મમાં ભૂલ કરે છે અને તે નિષ્ફળ જાય છે તે માટે તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવો.)
- સૌ પહેલા તમારે Bin Anamat Aayog ની વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે તમારી સામે બિન અનામતની વેબસાઇટનું Home Page પર Scheme Menu પર ક્લિક કરવી.
- ત્યારબાદ Scheme Menu પર દેખાતી વિવિધ યોજનાના લિસ્ટમાં “Coaching Help Scheme for JEE-GUJCET-NEET-Exams” પર ક્લિક કરવું.
- જેમાં “જી, નીટ અને ગુજકેટ” વિશે વિસ્તૃત માહિતી વાંચી લેવી.
- ત્યાર પછી નીચે આપેલ Apply Now પર ક્લિક કરવાનું રહેશે.
- હવે Apply Now ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં New User પર ક્લિક કરો.
- ત્યારબાદ Registration for Online Application System નામનું અલગ પેજ ખુલીને આવશે.
- જેમાં Email ID, Mobile Number અને Password નાખીને Captcha Code નાખવાનો રહેશે.
- ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી વિદ્યાર્થીઓએ “Already Register Click Here for Login” પર ક્લિક કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી, Username, Password અને Captcha Code નાખીને GUEEDC Login કરવાનું રહેશે.
- હવે Login પર ક્લિક કર્યા પછી તમારી સામે અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાં જે યોજનામાં અરજી કરવા માંગતા હોય તેના પર Apply Now પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારે બિન અનામત વર્ગના પ્રમાણપત્રની વિગત, કોચિંગ ક્લાસ, અને બેંકનો વિગત વગેરે ભરવાની રહેશે.
- ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસની તથા પોતાના સંપર્ક નંબરની માહિતી ભરીને “Save” કરવાની રહેશે
- હવે વિદ્યાર્થીએ Save Photo and Signature & Upload Document પર ક્લિક કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર પછી વિદ્યાર્થીએ યોજનામાં માંગ્યા મુજબના તમામ Document અપલોડ કરવાના રહેશે.
- હવે તમામ માહિતી અને ડોક્યુમેન્ટ Upload કર્યા બાદ અરજીને Confirm Application પર ક્લિક કરવાની રહેશે.
- અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબર સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે. અથવા પ્રિન્ટ ખાઢીને સાચવેત રાખવાની રહેશે.
જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના હેલ્પલાઇન નંબર
આ લેખમાં અમે તમેને સંપૂર્ણ માહિતી આપી છે પણ હજુ જો તમને આ યોજના માટે કોઈ પ્રશ્ન હોય અથવા હજુ પણ આ યોજનાની માહિતી મેળવવા માંગો છો, તો નીચે Bin Anamat Aayog Contact Number આપેલ છે જેના પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો.
- ઓફિસ હેલ્પલાઇન નંબર : 079-23258688
- ઓફિસ હેલ્પલાઇન નંબર : 079-23258684
વિધાર્થીઓ માટેની યોજના
1 thought on “JEE, NEET & GUJCET Coaching Sahay Yojana | જી,નીટ અને ગુજકેટ ટ્યુશન સહાય યોજના 2022”