Karigar Vyaj Sahay Yojana| દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના 2022, પાત્રતા, લાભ અને જરૂરી ડોકયુમેન્ટ, જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના શું છે, યોજનામાં શું લાભ મળશે અને આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે Karigar Vyaj Sahay Yojana અમલમાં લાવવામાં આવેલ છે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટે પાત્રતા
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ઉંમરઃ ૧૮ વર્ષ થી વધુ.
- કારીગર વિકાસ કમિશનર હેન્ડલુમ/ વિકાસ કમિશનર હેન્ડીક્રાફ્ટ / ઈન્ડેક્ષ્ટ- સી દ્વારા
- અપાયેલ આર્ટીઝન તરીકે નું ઓળખપત્ર ધરાવતો હોવો જોઇએ.
- કારીગર હાથશાળ કે હસ્તકલાની કારીગરીનો જાણકાર હોવો જોઇએ.
- ખોડખાંપણ ધરાવતા વિકલાંગ / અંધ કારીગરો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.
- આવક મર્યાદા નથી
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ
આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ. ૧.૦૦ લાખની મહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિગ કેપીટલ (કાચો માલ ખરીદવા માટે) અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ સહાયના ધોરણો
આ યોજના હેઠળ બેંક દ્વારા મંજૂર થયેલ લોન ધિરાણ થયા બાદ નીચે મુજબ માર્જીન મની સહાય ચૂકવવાની રહેશે.
(1) માર્જીન મની સહાય
જનરલ કેટેગરી (પુરુષ) | અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
૨૦% | ૨૫% |
(2) વ્યાજ સહાય
આ યોજના હેઠળ ૭(સાત) ટકાના દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે, જે સહાય દર ૬(છ) મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ વ્યાજનો દર
રીઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ તે દરેક બેંકો લોન માટે વ્યાજની અકારણી કરશે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ લોનની પરત ભરપાઈ
લોનના હપ્તા ધીરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે. અપાયેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૩૬ માસિક હ્પ્તામાં નિયમિત ભરપાઈ કરવાની રહેશે અને તે લાભાર્થીને બંધનકર્તા રહેશે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટે નાણાંકીય સંસ્થાઓ
- રાષ્ટ્રીયકૃત બેંકો
- તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો
- સહકારી બેંકો
- ખાનગી બેંકો
- પબ્લીક સેક્ટર બેંકો
કુટિર ઉદ્યોગના કારીગરો ને નવા ધંધા કે ચાલુ ધંધાના વિકાસ માટે નીચે જણાવેલ હેતુ માટે નાણાંકીય સવલત મળી શકે છે.
- કાચો માલ ખરીદવા
- સાધન ઓજારો
- મશીનરી ખરીદવા
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ
જે મિત્રો દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- નિયત અરજીપત્રક (બે નકલમાં)
- પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા)
- ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ
- આર્ટીઝન કાર્ડ
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર
- જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો,
- સૂચિત ધંધાના સ્થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે).
- વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીને પોતાના નજીકના જિલ્લા ઉધોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. જ્યાંથી તમને આ યોજનાનો લાભ મળશે.
આ પણ વાંચો:-