Kisan Parivahan Yojana | કિસાન પરિવહન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થયેલા પાકને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાની રીક્ષા, છોટા હાથીનો ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી APMC કે અન્ય બજારમાં પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ(છોટા હાથી) વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના બહાર પાડેલ છે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Kisan Parivahan Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન કે ઑફ્લાઈન ફોર્મ કેવી રીતે ભરવુ. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

કિસાન પરિવહન યોજનાનો હેતુ
Kisan Parivahan Yojana નો મુખ્ય હેતુ ખેડુતો દ્રારા ઉત્ત્પણ કરેલા ધાન્ય પાકોને APMC કે અન્ય બજારમાં પહોંચાડી શકે અથવા કોઈ બીજે દૂર સુધી પહોંચાડવા માટે ખેડૂત ભાઈઓ ગુડ્ઝ કેરેજ(છોટા હાથી) ખરીદી શકે તે માટે સહાય મળી રહે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
Kisan Parivahan Yojana ની પાત્રતા તથા શરતો
Kisan Parivahan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- રાજ્યના નાના, સિમાંત અને મહિલા ખેડૂતોને તથા અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- અરજદાર ખેડૂતો જમીન ધારણ કરેલા હોવા જોઈએ.
- લાભાર્થી ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો લાભ મળે.
- લાભાર્થી ખેડૂતોઓએ માલ વાહક પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
- વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.(જગલ વિસ્તારમાં રહેતા હોય તેમના માટે)
- આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
- આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
કિસાન પરિવહન સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
Kisan Parivahan Yojana હેઠળ મળવાપાત્ર સહાય વિવિધ જ્ઞાતિ પ્રમાણે નક્કી કરેલ જે વિવિધ જ્ઞાતિ પ્રમાણે મળશે. જે નીચે મુજબ છે.
મહિલા, નાના, સીમાંત,S.C અને S.T ખેડૂતો માટે | ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે. |
સામાન્ય અને અન્ય ખેડૂતો માટે | ખેડૂતને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે. |
કિસાન પરિવહન સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Kisan Parivahan Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડ
- ખેડૂતનું રેશનકાર્ડની નકલ
- ખેડૂતના 7-12 ના ઉતારા
- જો ખેડૂત એસ.સી અને એસ.ટી હોય તો castનું સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
- ખેડૂત દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- જંગલ વિસ્તાર માટે વન અધિકાર પત્રની નકલ (જો લાગુ પડતું હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્ર
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
Kisan Parivahan Yojana માં અરજી કેવી રીતે કરવી
જે મિત્રો Kisan Parivahan Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Kisan Parivahan Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
- હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડી યોજના” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં “કિસાન પરિવહન સહાય યોજના” માં અરજી કરો” પર ક્લિક કરો.
- હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
- હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
- આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
- હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી જમા કરાવવાના રહેશે.
- હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.
ખેડુતો માટેની યોજનાઓ:-