Kishan Vikas Patra Yojana | કિસાન વિકાસ પત્ર યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
કિસાન વિકાસ પત્ર યોજના કેન્દ્ર સરકાર દ્વાર ચલાવવામાં આવે છે. અને આ યોજનાને પોસ્ટ ઓફિસ દ્રારા ચલાવવામાં છે.Kishan Vikas Patra Yojana હેઠળ જો તમે રોકાણ કરો તો તમને એક સર્ટીફીકેટ આપવામાં આવે છે.જે સર્ટીફીકેટ કોઈ પણ ભારતીય નાગરિક ખરીદી શકે છે. જે બોન્ડ ની જેમ સર્ટીફિકેટ બહાર પાડ્વામા આવે છે. આ સર્ટિફિકેટ પર તમને 10 વરસ પછી તમારા પૈસા ડબલ થઇ ને મળશે અને આમાં તમે જેટલા પૈસા નું રોકાણ કરો છો એ તમને 10 વરસ પછી રિટર્ન મળી જાય છે અને આમાં તમારા પૈસા ડુબવાનુ જોખમ જ રહેતું નથી.અને વખતો વખત આમા વ્યાજ દર ઉપર નીચે થયા કરે છે.જેમાં એનું વ્યાજ દર વર્ષે વધે છે કારણ કે આમાં ચક્રવ્રુધ્ધિ વ્યાજ મળે છે જે ખુબજ સારી બાબત કહેવાય છે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Kishan Vikas Patra Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ફોર્મ ભરવું કેવી રીતે ભરવુ, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

કિસાન વિકાસ પત્ર યોજનામાં કેટલું રોકાણ કરવાનું રહશે?
Kishan Vikas Patra Yojana માં આમ તો કોઈપણ પ્રકારની મહત્તમ મર્યાદા બાંધેલી નથી, પરંતુ જો તમારે ઓછામાં ઓછા રૂપિયાનું રોકાણ કરવાનું જ હોય છે. તેમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયા થી રોકાણ ચાલુ કરી શકો છો.
કિસાન વિકાસ પત્ર યોજનામાં કેટલા સમય માટે રોકાણ કરવાનું હોય છે.
Kishan Vikas Patra Yojana માં રોકાણકાર લાભાર્થીને 124(10 વર્ષ ને 4 મહિના) મહિના સુધી તેમના પૈસા નું રોકાણ કરવાનું હોય રહશે. જેમાં રોકાણકાર નાં પૈસા ડબલ થઇ જાય છે અને પોસ્ટ ઓફિસ તરફ થી 6.9% વ્યાજ કે તેનાથી વધુ પણ વ્યાજ આપવામાં આવે છે.
કિસાન વિકાસ પત્ર યોજના માટે પાત્રતા
Kishan Vikas Patra Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- આ યોજના માટે ભારત ની નાગરિકતા હોવી જરૂરી છે.
- આ યોજના માટે 18 વરસ થી બધુ ઉમર નાં વ્યક્તિઓ લાભ લઇ શકે છે અને રોકાણ કરી શકે છે.
- આ યોજનામાં જે 18 વરસ થી નીચેના ને રોકાણ કરવું હોય તો એના માટે તેમનું ખાતુ વયસ્ક ની પાસે હોવુ જરૂરી છે.
- આ યોજનાનો લાભ કિસાન ભાઈઓ વગર બીજા લોકો પણ લઈ શકે છે.
- આમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકાર નાં ખાતા ધારકો લાભ મેળવી શકે છે.
કિસાન વિકાસ પત્ર યોજનામાં Tax Benefits
Kishan Vikas Patra Yojana હેઠળ જો આપ આ યોજનામાં તમારા પૈસા નું રોકાણ કરો છો. તો તમે જ્યા સુધી તમે પૈસા નું રોકાણ કરો છો ત્યાં સુધી તમને ઈન્કમટેકસ ભરવામાં રાહત આપવામાં આવશે.
કિસાન વિકાસ પત્ર યોજનામાં અરજી કરવા માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Kishan Vikas Patra Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- કિશાન પત્ર યોજના નું ફોર્મ ડાઉનલોડ
- રોકાણકાર નું આધાર કાર્ડ
- રોકાણકાર નું પાનકાર્ડ
- રોકાણકાર નું ચૂંટણીકાર્ડ
- રહેઠાણ નો પુરાવો
- ડ્રાઇવિંગ લાઈસન્સ
- પાસપોર્ટ (જો હોય તો)
કિસાન વિકાસ પત્ર યોજના માટે ફોર્મ ક્યાંથી મળશે?
Kishan Vikas Patra Yojana માં અરજી કરવાનું ફોર્મ તમને તમારી નજીકની પોસ્ટ ઓફિસ ની કચેરી માંથી જ ફોર્મ મળશે, જેના માટે તમારે પોસ્ટ ઓફિસ માં જાવું પડશે. જ્યા આપને આ યોજના માટે નું અરજી ફોર્મ મફતમાં આપવામાં આવશે.
કિશાન વિકાસ પત્ર યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Kishan Vikas Patra Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Kishan Vikas Patra Yojana જે અરજદાર અરજી કરવા માંગે છે તેમને ઉપર આપેલા તમામ ડોક્યુમેન્ટ સાથે તમારી નજીકની પોસ્ટ ઓફિસની કચેરીમાં જઈને આ યોજના હેઠળ તમે ત્યાં અરજી કરી શકો છો.
- Kishan Vikas Patra Yojana માટે પોસ્ટ ઓફિસની અધિકારીક વેબસાઈટ પર જઈને મુલાકાત લઈ શકો છો.
- પોસ્ટ ઓફિસ અધિકારીક વેબસાઈટ:-ક્લિક કરો
કિસાનો માટેની યોજનાઓ:-