માનવ સંચાલિત વાવણી યોજના 2022 | Manav Sanchalit Vavni Yojana

Manav Sanchalit Vavni Yojana | માનવ સંચાલિત વાવણી યોજના 2022 , પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા i-khedut Portal પર “માનવ સંચાલિત વાવણી યોજના” અમલમાં મુકવામાં આવી છે, આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને માનવ સંચાલિત વાવણીયો(ટ્રેક્ટર માટે) ખરીદવા માટે વિવિધ જ્ઞાતિ પ્રમાણે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવશે.

મારાં વ્હાલા ગુજરાતના ખેડૂત ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Manav Sanchalit Vavni Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Manav Sanchalit Vavni Yojana
Manav Sanchalit Vavni Yojana

માનવ સંચાલિત વાવણીયો સહાય યોજનાનો હેતુ શું?

માનવ સંચાલિત વાવણીયો સહાય યોજના 2022 હેતુ એ છે કે ખેડુતભાઈઓ ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેતી કરી શકે તે માટે આર્થિક રીતે નબળા ખેડૂતભાઈઓને માનવ સંચાલિત વાવણીયો(ટ્રેક્ટર માટે) ખરીદી પર સહાય આપવમાં આવી રહી છે. જેથી ગુજરાતના કિસાન ભાઈઓ સારી રીતે ખેતી કરી શકે.

માનવ સંચાલિત વાવણીયો સહાય યોજના લાભ લેવા માટેની પાત્રતા અને શરતો

Manav Sanchalit Vavni Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • આ સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
  • ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • Manav Sanchalit Vavni Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આ ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

માનવ સંચાલિત વાવણીયો સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

સામાન્ય ખેડુતો માટે

  • સામાન્ય ખેડુતોને પશું સંચાલિત વાવણી ખરીદવા માટે કુલ ખર્ચના ૪૦% અથવા ૩૫૦૦૦
  • બે માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.

નાના / સીમાંત / મહિલા ખેડૂત માટે

  • નાના, સીમાંત, મહિલા ખેડુતોને પશું સંચાલિત વાવણી ખરીદવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા ૪૪૦૦૦
  • બે માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.

અનુસૂચિત જાતિના ખેડુતો માટે

  • નાના, સીમાંત, મહિલા ખેડુતોને પશું સંચાલિત વાવણી ખરીદવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા ૪૪૦૦૦
  • બે માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.

અનુસૂચિત જનજાતિના ખેડુતો માટે

  • અનુસૂચિત જનજાતિના ખેડુતોને પશું સંચાલિત વાવણી ખરીદવા માટે કુલ ખર્ચના ૫૦% અથવા ૪૪૦૦૦
  • બે માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર થશે.

માનવ સંચાલિત વાવણીયો સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો Manav Sanchalit Vavni Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધાર કાર્ડ ની નકલ
  • રેશન કાર્ડ
  • જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિ માટે)
  • જમીનના દસ્તાવેજ 8-અ & 7/12 નો ઉતારો
  • બેંક પાસબુક ઝેરોક્ષ
  • મોબાઇલ નંબર (ચાલુ હોય તેવો)

માનવ સંચાલિત વાવણીયો સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો Manav Sanchalit Vavni Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.

Manav Sanchalit Vavni Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
  • હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
  • “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં  “માનવ સંચાલિત વાવણીયો સહાય યોજના” માં  અરજી કરો” પર ક્લિક કરો.
  • હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
  • હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
  • આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
  • હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી   જમા કરાવવાના રહેશે.
  • હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: