પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2022PM Kisan Mandhan Yojana | પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
સરકાર દ્રારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મુકેલી છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પાક ધિરાણ યોજના, સિંચાઈ યોજના વગેરે અમલમાં છે. આમ ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્શન મળે તે માટે ભારત સરકાર દ્રારા PM Kisan Mandhan Yojana ને 31 May 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
મારાં વ્હાલા ગુજરાતના કિસાન ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે PM Kisan Mandhan Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના | PM Kisan Mandhan Yojana
PM Kisan Maandhan Yojana હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે. દેશના નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિસાનોને ધડપણમાં સારી રીતે જીવન જીવવા માટે ભારત સરકાર દ્રારા પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પૂર્ણ થતાં 3000 પેન્શન આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીનું કોઈપણ કારણથી મુત્યુ થાય તો તેનાં પત્નીને દર મહિને 1500 રૂપિયા પેન્શન મળશે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો હેતુ શું?
યોજનાનો મુખ્ય હેતુ કિસાનોને ધડપણમાં સારી રીતે જીવન જીવવા માટે લાભ આપવામાં આવે છે. આ યોજના દ્રારા દેશના નાના અને સીમાંત ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 પેન્શનની રકમ આપીને સુરક્ષા આપવાના હેતુથી આ યોજના ચાલવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેઓ વિકાસ કરી શકે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
PM Kisan Mandhan Yojana નું પ્રીમિયમ કેવી રીતે ભરવાનું છે?
ખેડૂત પેન્શન યોજનાનો લાભ લેવા માટે દર મહિને લાભર્થીએ પ્રીમિયમ ભરવુ પડશે. આ યોજના હેઠળ લાભાર્થીએ 50% પ્રીમિયમ ભરવાનું રહેશે અને 50 % પ્રીમિયમ રકમ સરકાર દ્રારા ભરવામાં આવશે. કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને રૂપિયા 55 ભરવાના રહેશે અને 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોને દર મહિને રૂપિયા 200 પ્રીમિયમ ભરવાનું રહેશે. આ યોજનાનો લાભ 60 વર્ષ પછીમળવાપાત્ર રહેશે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે પાત્રતા
PM Kisan Mandhan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ભારતના નાગરિક હોય તેવા 18 થી 40 વર્ષના ખેડૂતોને મળશે.
- નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
- ખેડૂત પાસે 2 હેક્ટર કરતા ઓછી જામીન ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થશે.
- PM Kisan Maandhan Yojana નો લાભ લેવા માટે લાભાર્થી પાસે બેંક એકાઉન્ટ જોઈએ
- બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ કોને નહીં મળે?
- શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્રારા ‘પ્રધાનમંત્રી મંત્રી શ્રમ યોગી માનધન યોજના’ અને ‘ પ્રધાનમંત્રી વ્યાપારી માનધન’ યોજનાઓમાં પસંદગી થયેલ હશે તે ખેડૂતોને યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
- કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે Nation Pension Scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજનામાંથી પેન્શન મેળવતો હોવો જોઈએ નહીં.
- સામાજિક સુરક્ષા યોજના જેવી કે Nation Pension Scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન આવી સંસ્થાઓનો સભ્ય ન હોવો જોઈએ.
- આ ઉપરાંત, ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં.
- તમામ પ્રકારની સંસ્થાગત જામીન ધરાવતા હોય તેમને યોજનાનો લાભ મળશે નહીં.
- કેન્દ્ર સરકાર અને રાજ્યના સરકારના તમામ નિયમિત સરકારી કર્મચારીઓ (મલ્ટી ટાસ્કિગ/ક્લાસ-4 ગણતરીમાં લેવાના નથી.
- બંધારણીય હોદ્દાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા નાગરિકોને લાભ મળશે નહીં.
- ભૂતપૂર્વ કે વર્તમાન મંત્રીઓ/રાજ્યકક્ષાના મંત્રીઓ/લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્ય તથા નગર નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અઘ્યક્ષ હોય તેવા વ્યક્તિયોને લાભ મળશે નહીં.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ.
જે મિત્રો PM Kisan Maandhan Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડ
- ઉંમર અંગેનું પ્રમાણપત્ર
- ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/પાસપોર્ટ (આ ત્રણ માંથી કોઈપણ એક)
- ખેતીની જામીન ધરાવતા હોય તો તેનાં પ્રમાણપત્ર
- બેંક ખાતાની ઝેરોક્ષ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.
જે મિત્રો PM Kisan Mandhan Yojana માં ઓનલાઇન અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.
- સૌ પ્રથમ તમારે તમારા વિસ્તારના નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો.
- જ્યાં Village Level Entrpreneur (VLE) ને તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- VLE દ્રારા એમના CSC Login દ્રારા લાભાર્થી ની વ્યક્તિગત માહિતી, બેંકની માહિતી તથા અન્ય વિગતો ઓનલાઇન ભરવાની પ્રક્રિયા કરશે. ત્યારબાદ તે ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમમાટે રજીસ્ટ્રેશન કરાવશે.
- ઓટો ડેબિટ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેમાં લાભાર્થીની સહી કરવામાં આવશે.
- VLE દ્રારા લાભાર્થીના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવામાં રહેશે.
આ પણ વાંચો:-