Power thresher Sahay Yojana | પાવર થ્રેસર સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્રારા i-khedut Portal પર “પાવર થ્રેસર સહાય યોજના 2022” અમલમાં મુકવામાં આવી છે, આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને પાવર થ્રેસર ખરીદવા માટે વિવિધ જ્ઞાતિ પ્રમાણે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ખેડૂત ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Power thresher Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

પાવર થ્રેસર સહાય યોજનાનો હેતુ શું?
પાવર થ્રેસર સહાય યોજના 2022 હેતુ એ છે કે ખેડુતભાઈઓ ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેતી કરી શકે તે માટે આર્થિક રીતે નબળા ખેડૂતભાઈઓને વિવિધ પ્રકારના પાવર થ્રેસર ખરીદી પર સહાય આપવમાં આવી રહી છે. જેથી ગુજરાતના કિસાન ભાઈઓ સારી રીતે ખેતી કરી શકે.
પાવર થ્રેસર સહાય યોજના લાભ લેવા માટેની પાત્રતા અને શરતો
Power thresher Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- આ સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂતો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ.
- ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
- સામાન્ય ખેડુતો આ યોજનાનો લાભ દર પાંચ વર્ષે લઈ શકશે.
- અનુસૂચિત જાતિ ખેડુતો આ યોજનાનો લાભ દર પાંચ વર્ષે લઈ શકશે.
- અનુસૂચિત જન જાતિના ખેડુતો આ યોજનાનો લાભ દર પાંચ વર્ષે લઈ શકશે.
પાવર થ્રેસર સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય
સામાન્ય ખેડુતો માટે
- ટ્રેક્ટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૨૫ હજાર જે ઓછુ હોય તે મળવાપાત્ર.
- ટ્રેક્ટર/પાવર ટીલર (૨૦ થી વધુ અને ૩૫ બી.એચ.પી. સુધી) થી ચાલતા કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૩૦ હજાર જે ઓછુ હોય તે મળવાપાત્ર.
- ટ્રેક્ટર/પાવર ટીલર (૩૫ બી.એચ.પી. થી વધુ) થી ચાલતા કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૮૦ હજાર જે ઓછુ હોય તે મળવાપાત્ર.
- થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાક થી વધુ કેપેસીટી (૩૫ બી.એચ.પી થી વધુ) થી ચાલતા કુલ ખર્ચના ૪૦% અથવા રૂ.૨.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવાપાત્ર.
અનુ.જાતિ/જન જાતિ અને નાના/સિમાંત,મહીલા ખેડૂતો માટે
- ટ્રેક્ટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૩૦ હજાર જે ઓછુ હોય તે માલવપાત્ર.
- ટ્રેક્ટર/પાવર ટીલર (૨૦ થી વધુ અને ૩૫ બી.એચ.પી. સુધી) થી ચાલતા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૦ હજાર જે ઓછુ હોય તે મળવાપાત્ર.
- ટ્રેક્ટર/પાવર ટીલર (૩૫ બી.એચ.પી. થી વધુ) થી ચાલતા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૧.૦૦ લાખ જે ઓછુ હોય તે મળવાપાત્ર.
- થ્રેશર/મલ્ટી ક્રોપ થ્રેશર ૪ ટન/કલાક થી વધુ કેપેસીટી ટ્રેક્ટર (૩૫ બી.એચ.પી થી વધુ) થી ચાલતા કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૨.૫૦ લાખ જે ઓછુ હોય તે મળવાપાત્ર.
Power thresher Sahay Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Power thresher Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધાર કાર્ડ ની નકલ
- રેશન કાર્ડ
- જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિ માટે)
- જમીનના દસ્તાવેજ 8-અ & 7/12 નો ઉતારો
- બેંક પાસબુક ઝેરોક્ષ
- મોબાઇલ નંબર (ચાલુ હોય તેવો)
Power thresher Sahay Yojana માં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Power thresher Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
Power thresher Sahay Yojana નો લાભ લેવા માટે તમે ઘરે બેઠા પણ ઓનલાઇન અરજી કરી શકો છો, કે પછી તમે તમારી ગ્રામપંચાયતમાં બેઠેલા VC પાસે જઈને તમે ઓનલાઇન અરજી કરાવી શકો છો. અથવા તમે તમારી નજીકના ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરાવી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Google પર i-Khedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારી સામે i-Khedut ની ઓફીસીયલ વેબસાઈટ જોવા મળશે.
- હવે i-Khedut Portal Official પર “યોજનાઓ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર “ખેતીવાડીની યોજનાઓ ” લખેલ હશે તેનાં પર ક્લિક કરો.
- “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કર્યા બાદ તેમાં “પાવર થ્રેસર સહાય યોજના” માં અરજી કરો” પર ક્લિક કરો.
- હવે ત્યાં એક નવું પેજ ખુલશે જ્યાં તમારે જો તમે પહેલા આ યોજનાનો લાભ મેળવેલ છે તો ‘હા’ ના મેળવેલ હોય તો ‘ના’ સિલેક્ટ કરવું.
- હવે ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખુલશે તેમાં જે માહિતી માંગે છે તેમાં સંપૂર્ણ માહિતી ભરીને આ ફોર્મને સબમિટ કરી દો.
- આ ફોર્મ સબમિટ કર્યા બાદ આ અરજી ફોર્મની પ્રીન્ટ કરી દો.
- હવે આ અરજી પાસ થાય તો જ પ્રિન્ટ અને ઉપર આપેલા તમામ દસ્તાવેજને આ અરજી પ્રિન્ટ સાથે જોડીને તમારા ગામના ગ્રામ સેવકને અરજી કર્યા પછી જમા કરાવવાના રહેશે.
- હવે તમારી અરજીની ગ્રામસેવક દ્રારા પ્રક્રિયા કરવામાં આવશે જો તમારી અરજી પાસ થશે તો તમને આ યોજનાનોલાભ મળશે.
આ પણ વાંચો:-