Sankat Mochan Sahay Yojana | સંકટ મોચન સહાય યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Sahay Yojana શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ વ્યક્તિઓને અચાનક અકસ્માત અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમના પરિવારોને બે હજાર રૂપિયા સુધીની સાહેબ આપવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારી પર દસ્તાવેજના આવેદન ફોર્મ ભરવાના રહેશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Sankat Mochan Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

સંકટ મોચન સહાય યોજના | Sankat Mochan Sahay Yojana
આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે. અને પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
સંકટ મોચન સહાય યોજના (રાષ્ટ્રિયકુટુંબસહાય) હેઠળ મળવાપાત્ર સહાય
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે. અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે. અને જો આ યોજના હેઠળ ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે
સંકટ મોચન સહાય યોજના માટેની પાત્રતા
Sankat Mochan Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- પરિવારના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
- જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
- આકસ્મિક તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ લઈ શકો છો.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
- પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
- સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
સંકટ મોચન સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Sankat Mochan Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
- BPL Card
- મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/ જન્મ તારીખ નો દાખલો
- જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી
સંકટ મોચન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી
Sankat Mochan Sahay Yojana માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે સબંધી તાલુકાના મામલતદાર જઈને તમારે અરજી કરવાની રહેશે. અથવા ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
- આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા થશે.
સંકટ મોચન સહાય યોજના માટે અરજીપત્રક ક્યાંથી મળશે?
Sankat Mochan Sahay Yojana ની અરજી કરવા માટેનું અરજી પત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
આ પણ વાંચો:-