Shri Vajpayee Bankable Yojana | શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર વગેરે યોજનાઓ ચાલે છે. એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે “Shri Vajpayee Bankable Yojana” બહાર પાડેલ છેm
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Shri Vajpayee Bankable Yojanaશું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 । Shri Vajpayee Bankable Yojana
કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. Shri Vajpayee Bankable Yojana એ Loan Scheme છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે Finance Department દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરેલ છે.
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન/યુવતીઓ અને દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર Shri Vajpayee Bankable Yojana કાર્યરત કરેલ છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
Shri Vajpayee Bankable Yojana ની પાત્રતા
Shri Vajpayee Bankable Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ 4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
- લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
- અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
- લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
- લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
- આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
- આ યોજના હેઠળ અરજદારને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
- Shri Vajpayee bankable yojanaનો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
- અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
- સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Shri Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના હેઠળ ક્યાં-ક્યાં વ્યવસયોનો સમાવેશ થાય છે.
શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના Project Profile માં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની સંપૂર્ણ માહિતી આપેલી છે.
ક્ષેત્રનું નામ | સંખ્યા |
એન્જીનિયરીંગ ઉદ્યોગ | 53 |
કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ | 42 |
વેપાર પ્રકારના ધંધાઓ | 53 |
સેવા પ્રકારના વ્યવસાય | 51 |
ચર્મોદ્યોગ | 6 |
અન્ય ઉધોગ | 23 |
ટેક્ષટાઈલ ઉદ્યોગ | 32 |
પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 12 |
ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 10 |
પ્લાસ્ટિક ઉદ્યોગ | 22 |
ખાદ્ય પદાર્થ ઉદ્યોગ | 18 |
હસ્તકલા ઉદ્યોગ | 18 |
જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 17 |
ખનીજ આધારિત ઉદ્યોગ | 9 |
ડેરી ઉધોગ | 5 |
ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 6 |
ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ | 18 |
કુલ | 395 |
શ્રી વાજપાઈ બેંકેબલ યોજનામાં બેંક તરફથી ધિરાણની મર્યાદા
ક્ષેત્રનું નામ | લોનની મર્યાદા |
ઉદ્યોગ ક્ષેત્ર માટે | રૂપિયા 8 લાખની મહત્તમ મર્યાદા |
વેપાર ક્ષેત્ર માટે | રૂપિયા 8 લાખની મહત્તમ મર્યાદા |
સેવા ક્ષેત્ર માટે | રૂપિયા 8 લાખની મહત્તમ મર્યાદા |
ધિરાણ રકમ ઉપર સહાયના દર
વિસ્તાર | જનરલ કેટેગરી | અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ |
ગ્રામ્ય વિસ્તાર | 25% | 40% |
શહેરી વિસ્તાર | 20% | 30% |
સબસીડીની રકમની મર્યાદા
શ્રેત્રનું નામ | સબસિડીની રકમ મર્યાદામાં |
ઉધોગ શ્રેત્ર માટે | 1,25,000/- |
વેપાર ક્ષેત્ર માટે | 1,00,000/- |
સેવા શ્રેત્ર માટે |
|
શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના માટે જરૂરી દસ્તાવેજ
જે મિત્રો Shri Vajpayee Bankable Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
- ચૂંટણીકાર્ડ
- લાભાર્થીનું આધારકાર્ડ (આધારકાર્ડ ડાઉનલોડ કરો)
- જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
- શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
- જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
- 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
- અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
- વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
- જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
- નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
Shri Vajpayee Bankable Yojana માં અરજી કેવી કરવી?
જે મિત્રો Shri Vajpayee Bankable Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- તમારે સૌ પ્રથમ Google Search માં Bankable Scheme Portal ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં તમને Finance Department ની અધિકૃત વેબસાઈટ જોવા મળશે.
- જેમાંથી તમારે https://blp.gujarat.gov.in/ વેબસાઈટને ખોલવાની રહેશે.
- હવે Official Website ખોલ્યા બાદ “Bankable Loan Registration” પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે આ પોર્ટલ પર પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો તમારે પહેલા “REGISTER” પર ક્લિક કરો.
- હવે રજીસ્ટર પર ક્લિક કરવાથી હવે તમારે Mobile Number અને Captcha Code નાખીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.
- ત્યારબાદ લાભાર્થીએ અહીંયા Name, Email Id, Password અને Captcha Code નાખીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા પછી Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા login કરવાનું રહેશે.
- Bankable Scheme Portal પર Login કર્યા બાદ “New Application” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમે “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરીને Online Application કરવાની રહેશે.
- હવે તમારે Online Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ લાભાર્થીએ Scheme Details માં Project Details, Business Details તથા Finance Required ની માહિતી ભરવાની રહેશે.
- લાભાર્થીએ આગળ Detail of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે Attachment માં Required Documents ની PDF ફાઈલ અપલોડ કરીને “Submit Application” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં તમારો ઓનલાઈન એપ્લિકેશન નંબર જનરેટ થઈને બતાવશે. જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. જે તમને આગળ કામ આવશે.
Shri Vajpayee Bankable Yojana માટેની મહત્વપૂર્ણ લિંક
તમારા નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો | અહીં ક્લિક કરો |
યોજના માટે અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
સબસિડી ફોર્મ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો:-
6 thoughts on “શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 । Shri Vajpayee Bankable Yojana”