Videsh Abhyas Loan Sahay Yojana | વિદેશ અભ્યાસ લોન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
બિન અનામત વર્ગ આયોગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે, જેમ કે શૈક્ષણિક અભ્યાસ યોજના લોન, ભોજન બિલ સહાય, કોચીંગ સહાય (ટ્યુશન સહાય), JEE,GUJCET,NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય તથા વિદેશ અભ્યાસ લોન યોજના જેના હેઠળ બિન અનામત જ્ઞાતીના વિધાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે યોજના હેઠળ લોન આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Videsh Abhyas Loan Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Videsh Abhyas Loan Sahay Yojana નો હેતુ?
રાજ્યમાં બિન અનામત જ્ઞાતિના હોંશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તથા આર્થિક પરિસ્થિતિને મદદરૂપ થવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા વિદેશ અભ્યાસ લોન સહાય યોજના અમલમાં મુકવામાં આવે છે. Gujarat Unreserved Educational & Economical Development Corporation દ્વારા બિન અનામત જ્ઞાતિના વિધાર્થીઓને લોન આપવામાં આવે છે. જેથી તે સારુ શિક્ષણ મેળવી શકે.
વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ મળવાપાત્ર લોન
વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ બિન અનામત જ્ઞાતિના વિધાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે કુલ 15 લાખની મર્યાદામાં 4 % સાદા વ્યાજ પર મળવાપાત્ર થશે.
વિદેશ અભ્યાસ લોન પરત ચૂકવણી કેવી રીતે કરવાની
- ચૂકવણી કરેલ નાણાંને પ્રથમ નાણાંના વ્યાજ પેટે જમા લેવાનાં રહેશે.
- રૂપિયા 5,00,000 લાખ સુધીનીવધુ લોન લીધેલ હોય તેવા કિસ્સામાં અભ્યાસક્રમ પૂરો થયાના 1 વર્ષ બાદ 5 વર્ષમાં એક સરખા માસિક હપ્તા ભરવાના રહેશે.
- રૂપિયા 5.00,000 લાખથી વધુ લોન લીધેલ હોય તેવા કિસ્સામાં અભ્યાસક્રમ પૂરો કર્યાના 1 વર્ષ બાદ 6 વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ચૂકવવાની રહેશે.
- વિદેશ અભ્યાસ લોન લેનાર વિદ્યાર્થીએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચૂકવણી કરી શકે છે.
વિદેશ અભ્યાસ લોન યોજના માટે પાત્રતા
Videsh Abhyas Loan Sahay Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- ધોરણ-12 માં 60 ℅ કે તેથી વધુ હોય તેમને આ યોજનાનો લાભ મળે.
- કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 600000 થી ઓછી હોય એમને મળવાપાત્ર થાય.
- ધોરણ – 12 પછી MBBS કરવા માટે, સ્નાતક તથા ડિપ્લોમા પછી ડીગ્રી મેળવેલ હોય તો પણ માન્ય અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મળશે.
- અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા તેના જેવા નામથી ઓળખતા સમાન અભ્યાસક્રમ માટે આ યોજનાનો લાભ મળશે.
- રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કુલ રૂપિયા 15 લાખની મર્યાદામાં લોન મળશે.
Videsh Abhyas Loan Sahay Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Videsh Abhyas Loan Sahay Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડની નકલ
- ધોરણ- 10/12 અને તે પછીના અભ્યાસની માર્કશીટની નકલ
- શાળા છોડ્યાનો દાખલો ( LC )
- બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- નિયત નમુનાની અરજીપત્રક
- એડમીશન લેટર
- પાસપોર્ટ સાઈઝ ફોટો બે નકલ
- વિઝાની નકલ
- એર ટીકીટ
- દર વર્ષે ભરવાની થતી / ભરેલ ફી નો પુરાવો
- અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- ગીરોખત / બોજાનોંધ અને 5 બેંક ચેક
- પરિશિષ્ટ-1 મુજબ જામીનદારની મંજુરી અને Property valuation report અને મિલકતના આધારો.
- પરિશિષ્ટ-3 મુજબ પિતા/વાલી મિલકત મોર્ગેજ કરવાની સંમતિપત્ર
Videsh Abhyas Loan Sahay Yojana માં જામીન માટેનાં દસ્તાવેજો
- આખા અભ્યાસક્રમની લોનની કુલ રકમ રૂપિયા 7.50 લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની અરજદાર વિદ્યાર્થીએ પોતાના કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
- દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશ
- તમામ અભ્યાસક્ર્મની લોનની કુલ રકમ રૂપિયા. 7.50 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાના અથવા અન્ય કોઈ સગા-સંબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
વિદેશ અભ્યાસ લોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Videsh Abhyas Loan Sahay Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Bin Anamat Aayog Gujarat દ્વારા વિવિધ યોજનાઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા Bin Anamat Pramanpatra Online કરી શકાય છે. જેથી Videsh Abhyas Loan Sahay Yojana form online ભરી શકાય છે. જે તમારે ભરવા માટે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર પર જઈને www.gueedc.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Bin Anamat Aayog હેલ્પલાઈને નંબર
અમે અમારા આ લેખમાં Coaching Sahay Yojana વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે પરંતુ હજુ પણ તમને આ યોજના માટેના કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર દ્રારા માહિતી મેળવી શકો છો.
- Phone Number :– 079-23258688 , 079-23258684
આ પણ વાંચો:-
8 thoughts on “વિદેશ અભ્યાસ લોન યોજના 2022 | Videsh Abhyas Loan Sahay Yojana”